શિક્ષણ
જયોતિ વિધાલય માં પ્રથમ ક્રમાંક વડાલી ખેડબ્રહ્મા કેન્દ્ર સાયન્સમાં પ્રથમ

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
આજરોજ જાહેર થયેલ વિજ્ઞાન પ્રવાહના પરિણામ માં સંતશ્રી નથુરામબાપા જ્યોતિ વિદ્યાલય, ખેડબ્રહ્મા ની દીકરી પટેલ આંચલ નારાયણભાઈ 92.16 ટકા અને 99.78 પીઆર સાથે ખેડબ્રહ્મા વડાલી કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવી અને શાળાનું ગૌરવ વધાર્યું છે.
જે બદલ શાળાના આચાર્ય સુરેશકુમાર એસ પટેલે દીકરી આંચલને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ, બીજા ક્રમે પંડ્યા હિમર્સ યોગેન્દ્ર કુમાર 80.00% સાથે અને ત્રીજા ક્રમે પટેલ દૃષ્ટિ જે 76.14% સાથે ઉત્તીર્ણ થયેલ .શાળાનું સુંદર પરિણામ લાવવા બદલ વિજ્ઞાન પ્રવાહના સૌ સ્ટાફને બિરદાવવામાં આવેલ.