Blog

આખરે લોકશાહીના અવસરનુ બ્યુગલ વાગી ગયુ : કોના પર લાગશે પ્રતિબંધ ?

આચારસંહીતા લાગુ : તમામ સરકારી મશીનરી ચુંટણીપંચ હસ્તક

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ 

આખરે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. આજે બપોરે ૩ વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ થઈ હતી. ૭ તબક્કામાં મતદાન થશે. તારીખોની

જાહેરાત પછી જ દેશભરમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આ વાત તો બધા જાણતા જ હોય છે. પંરતુ ચૂંટણી આચારસંહિતા લાગુ થયા બાદ તેનો અમલ કોણ કરે છે, કઈ વસ્તુઓ પર પ્રતિબંધ લાગે તો કેટલી વસ્તુ પર મળે છે છૂટ ? આવા અનેક પ્રશ્નોના જવાબ મોટા ભાગના લોકો જાણતા નથી તો આજે આપણે એવા જ કેટલા પ્રશ્નોના જવાબ વિશે વાત કરીશું.

આચારસંહિતા કોને કહેવામાં આવે છે ? 

લોકશાહી દેશનો સૌથી મોટો અવસર છે. નિષ્પક્ષ ચૂંટણીઓ કરવા સાથે સુનિશ્ચિત જવાબદારી ચૂંટણી પંચ પર મૂકવામાં આવે છે. જે આપણા દેશની દરેક પ્રકારની ચૂંટણીનું આયોજન કરે છે અને તે નિષ્પક્ષ રીતે થાય તે સુનિશ્ચિત કરે છે. આ માટે ચૂંટણીપંચ કેટલા નિયમો બનાવે છે. ચૂંટણી પહેલાના આ નિયમો કે માર્ગદર્શિકાને જ આચારસંહિતા કહેવામાં આવે છે. દેશમાં દરેક પક્ષ અને ઉમેદવારને નક્કી કરવામાં આવેલ આચારસંહિતાના નિયમનુ ફરજિયાતપણે અમલીકરણ કરવાનુ હોય છે. સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા સંપન ન થાય ત્યાં સુધી સરકારી કર્મચારીઓ ચૂંટણી પંચ હસ્તક હોય છે. આચારસંહિતા રાજકીય પક્ષો, ઉમેદવારો અને મતદારો માટે સામાન્ય આચાર સંબંધિત નિયમો છે. જે લાગુ થયા બાદ સભાઓ, મતદાન, મતદાન મથકો, નિરીક્ષકો અને મેનિફેસ્ટોને લગતા કેટલાક નિયમો પાલન કરવા ફરજીયાત બને છે.

 

આંચરસંહિતા લાગુ થયા બાદ કેટલી વસ્તુઓ પર પ્રતિબંધ લાગે છે?

સરકારને લોકશાહી જાહેરાતો કરવા પર પ્રતિબંધ લાગી જાય છે.

સરકાર કોઈ નીતિગત નિર્ણય લઈ શકતી નથી અને નવી કોઈ યોજનાઓ લાગુ કરી શકાતી નથી.

મંત્રીઓ સરકારી ખર્ચે ચૂંટણી સભા કે રેલીઓનું આયોજન કરી શકતા નથી.

મંત્રીઓ તેમના નિવાસસ્થાનથી ઓફિસ જવા માટે માત્ર સરકારી વાહનોનો ઉપયોગ કરી શકશે પરંતુ તેનો ઉપયોગ ચૂંટણી રેલીઓ અને પ્રવાસો માટે કરી શકતા નથી.

મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા અથવા કોઈપણ ધાર્મિક સ્થળનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી ન શકાય.

આચારસંહિતા હેઠળ સરકાર કોઈપણ સરકારી અધિકારી કે કર્મચારીની બદલી કે પોસ્ટિંગ થઈ શકતુ નથી.

 

 

Related Articles

Back to top button
error: Content is protected !!